surat : સુરતના ( surat ) સરથાણા ( sarthana ) જકાતનાકા રાજહંસ સ્વપ્ન સૂર્યા બિલ્ડિંગમાં ( building ) 11 દિવસ અગાઉ ખૂની ખેલ ખેલી પરિવાર પર હુમલો કરી પત્ની, પુત્રની હત્યા કર્યા બાદ બે વખત આપઘાતનો ( suicide ) પ્રયાસ કરનાર સ્મિતને ગતરોજ ખાનગી હોસ્પિટલમાંથી ( private hospital ) રજા અપાતા પોલીસે ( police ) અટકાયત ( arrest ) કરી હતી. ત્યારબાદ તેની તબીયત બગડી હતી. આઈસીયુમાંથી ડિસ્ચાર્જ થયેલા સ્મિતે ચક્કર આવવાની અને અશક્તિ લાગે છે તેવી ફરિયાદ કરતા સરથાણા પોલીસ તેને સ્મીમેર હોસ્પિટલ ( smimer hospital ) લઈ ગઈ હતી. જ્યાંથી સારવાર કરાવ્યા બાદ સત્તાવાર ધરપકડ કરવામાં આવી હતી.

https://youtube.com/shorts/8SrfSij_TxM?feature=share

https://dailynewsstock.in/2025/01/07/health-newyear-weightloss-winter-season-trade-world/

મળતી મુજબ સુરતના સરથાણા જકાતનાકા રાજહંસ સ્વપ્ર સૂર્યા બિલ્ડિંગમાં 11 દિવસ અગાઉ હું એકલો પડી ગયો છું, હવે આપણું કોઈ રહ્યું નથી કહી પત્ની, પુત્રની હત્યા કરી નાખી હતી. ત્યારબાદ માતાપિતાની ઉપર ચપ્પુ વડે હુમલો કરી બાદમાં પોતાના ઉપર પણ ચપ્પુ ફેરવી દીધું હતું. મૂળ સાવરકુંડલાના સ્મિત ગોયાણીએ પિતરાઈ ભાઈ સાથે મનદુઃખને લીધે નહીં પણ અન્ય કારણોસર હુમલો કર્યાની આશંકા પોલીસ સેવી રહી હતી.

surat : સુરતના ( surat ) સરથાણા ( sarthana ) જકાતનાકા રાજહંસ સ્વપ્ન સૂર્યા બિલ્ડિંગમાં ( building ) 11 દિવસ અગાઉ ખૂની ખેલ ખેલી પરિવાર પર હુમલો કરી પત્ની, પુત્રની હત્યા કર્યા બાદ બે વખત આપઘાતનો ( suicide ) પ્રયાસ

હોસ્પિટલમાં બાથરૂમનો કાચ તોડી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો
પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, તેના પરિવારમાં કોઈને એકબીજા સાથે બનતું નહોતું અને હંમેશા ઝઘડા થતા હતા. સ્મિત માતાપિતા સાથે ખપ પૂરતી જ વાત કરતો હતો. પોલીસે આ અંગે તેની પુછપરછ માટે પ્રયાસ કર્યા હતા. પણ શરૂઆતમાં ગળું દુઃખે છે કહી જવાબ આપવાનું ટાળતા સ્મિતે હોસ્પિટલમાં દાખલ હતો ત્યાં બાથરૂમનો કાચ તોડી ફરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ કરાતા પોલીસે અટકાયત કરી હતી
ગત શુક્રવારે ભાનમાં આવેલા સ્મિતે પરિવારમાં જુદાજુદા કારણોથી રોજબરોજ થતા ઝઘડાથી કંટાળીને પરિવારને ખતમ કરી આપઘાત કરવાનું નક્કી કરી હુમલો કર્યાની કબૂલાત કરી હતી. પોલીસ તેને હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ ધરપકડ માટે રાહ જોતી હતી. ગત રોજ તેને આઈસીયુમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો. આથી સરથાણા પોલીસ અટકાયત કરી સ્મિતને લઈને ગઈ હતી.

ચક્કર આવવાની ફરિયાદ કરતા સ્મીમેરમાં સારવાર કરવામાં આવી
​​​​​​​સ્મિતની ધરપકડ થાય તે પહેલાં ચક્કર આવવાની અને અશક્તિ લાગે છે તેવી ફરિયાદ કરતા પોલીસ તેને સ્મીમેર હોસ્પિટલ લઈ ગઈ હતી. સ્મીમેરના તબીબોએ તપાસ કર્યા બાદ નોર્મલ હોવાનું કહેતા ફરી તેને સરથાણા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. કાયદેસરની કાર્યવાહી કરીને સ્મિતની ધરપકડ કરવામાં આવી હતી. સ્મિતે પરિવારની હત્યા કર્યા બાદ પહેલી રાત લોકઅપમાં ગુજારી હતી.

32 Post