સુરતની સરકારી શાળા ( surat goverment schol ) માં 46 વિદ્યાર્થીઓના ( students ) LC મામલે શિક્ષણમંત્રી એક્શનમાં. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો ભલે વિદેશ જાય તો એક વર્ષ સુધી તેમની ઉપર કાર્યવાહી થતી નથી પરંતુ, જો બાળકો શાળામાં રજા રાખે તો LC ( leaving certificate ) આપી દેવામાં આવે છે. આ ઘટના સુરત શહેરના પાલનપુર પાટિયા ખાતે આવેલ સમિતિની 318 નંબર શાળામાં બની છે. જેમાં અનેક નાના-નાના કારણો આપીને 46 જેટલા વિદ્યાર્થીઓને LC આપી દેવામાં આવી છે. સમિતિના સભ્ય સ્વાતિ સોસા દ્વારા રજૂઆત કરાતા આજે 7 જેટલા વિદ્યાર્થીઓને એડમિશન ( admission ) તો આપવામાં આવ્યા છે પરંતુ, અન્ય વિદ્યાર્થીઓના ભવિષ્ય અંધકારમાં છે. આ ઘટનાની જાણ થતાં જ શિક્ષણ મંત્રી ( prafulbhai pansheriya ) એક્શનમાં આવ્યા. 318 નંબરની શાળાના મુખ્ય શિક્ષકને બરતરફ કરવા આદેશ અપાયો જ્યારે CRCના 3 સભ્યોને નોટિસ આપવામાં આવી.
https://www.facebook.com/DNSWebch/

એક યા બીજા કારણોસર લિવિંગ સર્ટિફિકેટ આપ્યા
મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આબરૂ ફરી એક વખત ધૂળધાણી થઈ છે. પાલનપોર કેનાલ રોડ ઉપર આવેલી સમિતિની શાળામાં જૂનથી લઈને અત્યાર સુધીમાં તબક્કાવાર બે-ચાર નહીં 46 જેટલા વિદ્યાથીઓને હાંકી કઢાયા છે. એક યા બીજા કારણોસર આચાર્ય દ્વારા લિવિંગ સર્ટિફિકેટ આપી દેવામાં આવતા વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. એક બાજુ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ખાનગી સ્કૂલોના બાળકોની સંખ્યા વધી રહી હોવાની શાસકો દ્વારા વાહવાહી લૂંટાઈ રહી છે. તંત્ર છાતી ફુલાવી રહ્યું છે. આ હકીકત વચ્ચે શરમજનક કિસ્સો બહાર આવ્યો છે.
સુરતની સરકારી શાળામાં 46 વિદ્યાર્થીઓના LC મામલે શિક્ષણમંત્રી એક્શનમાં. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો ભલે વિદેશ જાય તો એક વર્ષ સુધી તેમની ઉપર કાર્યવાહી થતી નથી
એક જ શાળામાંથી 46 બાળકોને હાંકી કઢાયા
શિક્ષણ સમિતિ દ્વારા બાળકોને એક યા બીજા કારણોસર હંમેશા માટે ઘરભેગા કરવામાં આવી રહ્યાં છે. બાળકોની નાની-નાની બાબતોને ઇશ્યું બનાવી લિવિંગ સર્ટિફિકેટ ( lc ) પકડાવી દેવામાં આવી રહ્યાં છે. આ વખતે એક જ શાળામાંથી માત્ર ગણતરીના મહિનામાં અત્યાર સુધીમાં 46 બાળકોને લિવિંગ સર્ટિફિકેટ પકડાવી દઈ શાળામાંથી હંમેશા માટે રજા આપી દેવાઈ હોવાનું જાણવા મળ્યું છે.
બાળકો ગેરહાજર રહેતા હોવાના કારણે LC આપ્યા
વાલીઓ દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી કે, તેમના બાળકોને શાળામાંથી કાઢવામાં ન આવે અને એડમિશન આપવામાં આવે પરંતુ, શાળાના મુખ્ય શિક્ષક વિજય ઝાંઝરુકિયાએ જણાવ્યું હતું કે, જે પણ આક્ષેપો થયા છે તે હકીકત નથી. અમે જૂન પછી 46 બાળકોને LC આપ્યા છે કારણ કે, વાલીઓએ ડિમાન્ડ કરી હતી અથવા તો અનેક બાળકો એવા છે કે, જેઓ ગેરહાજર રહેતા હતા. અમે તેમના વાલીઓને સંપર્ક પણ કર્યા હતા પરંતુ, તેઓએ ટીચરના મોબાઈલ નંબર પણ બ્લોકમાં મૂકી દીધા હતા. વાલીઓએ અરજી આપી છે ત્યારે અમે LC આપ્યા છે. એક બાળકનું મૃત્યુ થયું છે, બે બાળકો ખાનગી શાળામાં એડમિશન મેળવ્યા છે. બાકીના બાળકોના સ્થળાંતરના કારણે લિવિંગ સર્ટિફિકેટ આપ્યા છે.
સમિતિના સભ્યની રજૂઆત બાદ 7 બાળકોને એડમિશન
અત્રે ઉલ્લેખનીય છે કે તબક્કાવાર 46 જેટલા બાળકોને એલસી આપવામાં આવી છે જ્યારે આ અંગે વાલીઓએ શિક્ષણ સમિતિના સભ્ય સ્વાતિ સોસા ને રજૂઆત કરી ત્યારે તેઓ શાળા પહોંચ્યા હતા અને લગભગ સાત જેટલા બાળકોને ગણતરીના મિન્ટોમાં એડમિશન પણ અપાવી દીધા હતા. જે શાળાના સંચાલકોએ બાળકોને એલસી આપ્યા હતા તેઓએ પરત આ બાળકોને રાખી લીધા છે. એટલે પ્રશ્નો ઉભો થાય છે કે, શા માટે અત્યાર સુધી આ બાળકોને રજૂઆત બાદ પણ એડમિશન આપવામાં આવ્યા નહોતા સમિતિ ક્યારે આ સંચાલકો ઉપર કાર્યવાહી કરશે.
બાળકોના ભવિષ્યને દાવ પર લગાડી દેવાયું છે.
સમિતિના વર્તુળોએ જણાવ્યું કે, શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધે તો બીજી પાળી શરૃ કરવી પડે તેમ છે. બીજી પાળી શરૃ થાય તો સ્ટાફ વધે, મેહકમ વધે અને નવા આચાર્ય પણ આવે તેથી આધિપત્ય જોખમાય તેમ હોવાથી બાળકોના ભવિષ્યને દાવ પર લગાડી દેવાયું છે. ગરીબ અને મધ્યમ વર્ગના નિદોષ બાળકોને પ્રાથમિક શિક્ષણથી વંચિત કરવામાં આવી રહ્યા છે.
મને સ્કૂલે આવવાની ના પાડી દીધી – નિકિતા
આ શાળામાંથી LC આપવામાં આવેલી એક બાળકી નિકિતાને જ્યારે પૂછવામાં આવ્યું કે, તમે શાળાએ કેમ નથી જતા? ત્યારે તેણીએ કહ્યું કે, હું શાળામાં 5 દિવસ મોડી ગઈ હતી એટલે મને એવું કહ્યું કે, હવે તારે સ્કૂલે આવવાની જરુર નથી. મને સ્કૂલે આવવાની ના પાડી દીધી. મારે સ્કૂલમાં ભણવું છે ને શિક્ષક બનવું છે. હાલ આ બાળકી રસ્તા પર બેસીને શાકભાજી વેંચી રહી છે.
પરીક્ષાના 5 દિવસ પહેલા LC આપવામાં આવી
આ શાળામાંથી LC મળેવ વિદ્યાર્થીઓના એક વાલી રસિકભાઈએ વાત કરતાં કહ્યું કે, મારા ત્રણ બાળકોને LC આપવામાં આવેલ છે. માત્ર સાત દિવસ ગેરહાજર રહેતા બાળકોને LC આપવામાં આવી.. રજા લઈને ગયા હતા.. પરીક્ષાના પાંચ દિવસ પહેલા LC આપવામાં આવી.