home loan : આરબીઆઈ એ સતત ત્રીજી વખતે રેપો રેટ ઘટાડી હોમ લોનધારકોન મોટી રાહત આપી છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ 6 જૂન 2025 ના રોજ મોનેટરી પોલિસીમાં ( policy ) રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડી 5.50 ટકા કર્યો છે. આ નિર્ણય પછી, હોમ લોન લેનારાઓના માસિક હપ્તા EMI ઘટવાની અપેક્ષા છે. ચાલો સમજીએ કે RBI ના આ નિર્ણયથી તમારી હોમ લોન EMI કેટલી ઓછી થવાની અપેક્ષા રાખી શકાય છે. સમજવામાં સરળતા માટે, અમે 30 લાખ રૂપિયાની હોમ લોન પર સંભવિત બચતની પણ ગણતરી કરીશું.
https://dailynewsstock.in/mudra-loan-goverment-pmmy-adharcard/

home loan : તમારી હોમ લોન EMI ખરેખર કેટલી ઘટશે તે તમારી બેંક દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત કર્યા પછી જ નક્કી કરવામાં આવશે. પરંતુ RBIના નિર્ણય પછી, બેંકો તરફથી એટલા જ પ્રમાણમાં વ્યાજ દર ઘટાડવાની અપેક્ષા રાખી શકાય છે. સામાન્ય રીતે આરબીઆઈ દ્વારા રેપો રેટ ઘટાડ્યાના એક મહિના બાદ બેંકો તેમની લોનની વ્યાજદરની સમીક્ષા કરી સુધારો કરે છે.
RBI રેટ કટ બાદ લોન ઇએમઆઈ ગણતરી
home loan : આરબીઆઈ દ્વારા રેપો રેટ 50 બેસિસ પોઈન્ટના ઘટાડ્યા બાદ જો તમારી બેંક વ્યાજદરમાં તેટલા જ પ્રમાણમાં ઘટાડો કરે છે, તો તમારી હોમ લોનનો વાર્ષિક વ્યાજ દર 8.75% થી ઘટી 8.25% થઈ જશે.
home loan : આરબીઆઈ એ સતત ત્રીજી વખતે રેપો રેટ ઘટાડી હોમ લોનધારકોન મોટી રાહત આપી છે.
આવી સ્થિતિમાં, તમારો લોન ઇપીએમ ઘટીને લગભગ 25,562 રૂપિયા થઈ જશે. એટલે કે તમારે દર મહિને હોમ લોન ઇએમઆઈ પેટે 949 રૂપિયા ઓછા ચૂકવવા પડશે.
તમારી કુલ વ્યાજ ચુકવણી પણ 20 વર્ષમાં ઘટીને રૂ. 31,34,873 થઈ જશે.
લોનની રકમ અને વ્યાજ સહિત, તમારે બેંકને 31,34,873 રૂપિયા ચૂકવવા પડશે.
20 વર્ષમાં તમારી કુલ બચત લગભગ 2,27,844 રૂપિયા જેટલી થશે.
લોન ઇએમંઆઈ કે મુદત શું ઘટાડવું જોઈએ?
home loan : જ્યારે વ્યાજ દરમાં ઘટાડો થાય છે, ત્યારે બેંકો તમને તમારા EMI ઘટાડવાનો અથવા તમારા લોનના સમયગાળાને ઘટાડવાનો વિકલ્પ આપે છે. જો તમે તમારા EMI ઘટાડવાને બદલે તમારા લોનના સમયગાળાને ઘટાડવાનું નક્કી કરો છો, તો તમે તમારા કુલ વ્યાજ ચુકવણી પર વધુ પૈસા બચાવી શકો છો અને તમારી લોન ઝડપથી પૂર્ણ કરી શકો છો.
https://youtube.com/shorts/0cHPLOvuS14

RBI Repo Rate Cut Impact : રેપો રેટ બેંકોને કેવી રીતે અસર કરે છે?
home loan : RBI દ્વારા રેપો રેટ ઘટાડવાની જાહેરાતનો અર્થ એ નથી કે વાણિજ્યિક બેંકોના વ્યાજ દરો આપમેળે ઘટશે. પરંતુ ઓક્ટોબર 2019 થી, બધી ફ્લોટિંગ રેટ હોમ લોનને રેપો રેટ સહિત એક્સટર્નલ બેન્ચમાર્ક સાથે જોડવામાં આવી છે. તેથી, રેપો રેટમાં ઘટાડો હોમ લોનના વ્યાજ દરોને અસર કરે છે.
રેપો રેટ એ વ્યાજ દર છે જેના પર RBI વાણિજ્યિક બેંકોને ટૂંકા ગાળા માટે ભંડોળ આપે છે. એટલે કે, જ્યારે RBI રેપો રેટમાં ઘટાડો કરે છે, ત્યારે બેંકો માટે ઉધાર લેવાનું સસ્તું બને છે, જેનાથી તેમના ભંડોળનો ખર્ચ ઓછો થાય છે. તેથી, તેઓ તેમના ગ્રાહકોને ઓછા વ્યાજ દરે ધિરાણ આપી શકે છે.