gujarat : રાજકોટના ( rajkot ) રણછોડદાસ આશ્રમમાં મોતીયાના ઓપરેશન ( opration ) માટે આવેલા દર્દીઓને પણ ભાજપના ( bhajap ) સદસ્ય બનાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જૂનાગઢના દર્દીએ સોશ્યલ મીડિયા ( social media ) પર વીડિયો વાયરલ ( video viral ) કર્યો હતો. જેમાં મોડી રાત્રે 11 વાગ્યે દર્દીઓને ઉંઘમાંથી ઉઠાડી એક શખ્સ મોબાઈલ નંબર ( mobile number ) લઈ અને પછી OTP નંબર મેળવતો જોવા મળી રહ્યો છે. આંખના મોતિયાના ઓપરેશન માટે આવેલા દર્દીઓને પણ ભાજપ દ્વારા સદસ્યો ( member ) બનાવવામાં આવતા હોવાનું સામે આવતા રાજકારણ ગરમાયું છે.

https://youtu.be/IBtuw6g2Fz8

https://dailynewsstock.in/2024/10/19/gujarat-game-online-love-jihad-islam-dharma-police/

gujarat રાજકોટ શહેર ભાજપના નેતાઓ સદસ્યતા અભિયાનનો ટાર્ગેટ પૂર્ણ કરવામાં ભાન ભૂલ્યા છે. થોડા સમય પહેલા પડધરીની એક સ્કૂલમાં મોરબી ભાજપના નેતાઓ સદસ્યતા અભિયાન કર્યું હતું. જોકે ત્યાર બાદ રાજકોટ શહેર ભાજપના પશ્ચિમ વિધાનસભા બેઠકના ધારાસભ્ય ડો. દર્શીતા શાહે હેમુ ગઢવી હોલમાં નાટકના શો શરૂ થાય તે પહેલા સદસ્યતા અભિયાનમાં જોડાવા અને રેફરલ કોડ આપ્યો હોવાની ઘટના સામે આવી હતી. જોકે આ વખતે તો નેતાઓએ હદ વટાવી દીધી હતી. રાજકોટના કુવાડવા રોડ પર આવેલ રણછોડદાસ આશ્રમ ખાતે આવેલ આંખની હોસ્પિટલમાં આવેલા મોતિયોના દર્દીઓને સદસ્યો બનાવ્યા હોવાનું સામે આવ્યું છે.

gujarat : રાજકોટના ( rajkot ) રણછોડદાસ આશ્રમમાં મોતીયાના ઓપરેશન ( opration ) માટે આવેલા દર્દીઓને પણ ભાજપના ( bhajap ) સદસ્ય બનાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

જોકે આ વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા જ હોસ્પિટલના સંચાલક શાંતિલાલ વાડોલિયા મીડિયા સમક્ષ આવ્યા હતા અને આ વીડિયોમાં દેખાતો શખ્સ કોઈ દર્દીઓ સાથે આવ્યો હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં CCTV ફૂટેજ આધારે આ શખ્સ કોણ છે અને ક્યાંથી આવ્યો તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. હોસ્પિટલના સિક્યોરિટી ગાર્ડની પણ પૂછપરછ કરવામાં આવશે. રણછોડદાસ આશ્રમમાં જૂનાગઢની ત્રીમૂર્તિ હોસ્પિટલના કેમ્પમાંથી દર્દીઓને લાવવામાં આવ્યા હતા. રવિવારે રાત્રે આ દર્દીઓને હોસ્પિટલમાં જ દાખલ રાખવામાં આવ્યા હતા. તે સમયે કોઈ શખ્સે આ સદસ્યતા અભિયાન કર્યું હોવાનું કહેવાય છે. જે અંગે ત્રિમૂર્તિ હોસ્પિટલના ડો. ચીખલીયાની સાથે સંપર્ક કરી માહિતી મેળવવામાં આવી છે

જોકે આ મામલે રાજકારણ ગરમાતા રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ નિવેદન આપ્યું હતું કે, સમગ્ર મામલે મારા ઝોન મહામંત્રીને તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. વીડિયોમાં દેખાનાર વ્યક્તિ કોણ છે તે બાબતે તપાસ કરવામાં આવશે. કોઈને પણ એવો ટાર્ગેટ નથી આપવામાં આવ્યો કે તેમણે ઊંઘતા દર્દીઓને હોસ્પિટલમાં ઉઠાડીને સદસ્ય બનાવવા પડે. આ પ્રકારનો ઉત્સાહ અને ઉન્માદ ક્યારેય પણ સાખી લેવામાં નહીં આવે. રાજકોટ શહેર ભાજપના કાર્યકર્તાઓએ 50 દિવસ સુધી પોતાની મર્યાદા જાળવીને ટાર્ગેટ કરતા પણ વધુ લક્ષ્યાંક હાંસલ કર્યો છે. સમગ્ર ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢું છું. સમગ્ર ઘટનામાં ભાજપને બદનામ કરવાનું કોઈ કાવતરું તો નથી તે બાબતે પણ તપાસ કરવામાં આવશે.

પ્રાપ્ત વિગત મુજબ, જૂનાગઢ ત્રિમૂર્તિ હોસ્પિટલ ખાતે દર્દીઓની નોંધણી કરી ગત 16 સપ્ટેમ્બરે ઓપરેશન માટે જૂનાગઢથી રાજકોટ લાવવામાં આવ્યા હતા. દર્દીઓની સાથે એક સાથીદાર પણ આવ્યા હતા. આ સાથીદાર દ્વારા રાત્રિના દર્દીઓને ઊંઘમાંથી ઉઠાડી ઉઠાડી સદસ્ય બનાવવામાં આવ્યા હતા. જૂનાગઢના કમલેશ ઠુંમર નામના દર્દીએ મોબાઈલમાં વીડિયો ઉતારી લેતાં ભાંડો ફૂટ્યો હતો. મોટા ભાગના દર્દીઓને મેસેજ આવ્યો ત્યારે ખબર પડી કે તેઓ તો ભાજપના સભ્ય બની ગયા છે. વોર્ડમાંથી 200 કરતાં વધુ લોકોને આ રીતે સભ્ય બનાવી દીધા હોવાનો વીડિયો બનાવનાર દ્વારા દાવો કરાયો છે. આ પહેલાં પણ શાળાઓમાં અને કોલેજોમાં બળજબરી ભાજપના સભ્ય બનાવવાના મામલાઓ સામે આવી ચૂક્યા છે.

81 Post