Congress : કોંગ્રેસની વરિષ્ઠ નેતા અને પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીની ( Sonia Gandhi ) તબિયત ( Health ) અચાનક લથડતા શિમલાની ઈન્દિરા ગાંધી મેડિકલ કોલેજ (IGMC) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ( Congress )શુક્રવારથી શિમલા સ્થિત તેમની પુત્રી પ્રિયંકા ગાંધીના ફાર્મહાઉસમાં રોકાયેલા સોનિયા ગાંધીને આજે સવારે તબિયત નબળી અનુભવાતાં તાત્કાલિક IGMC લઈ જવાયા હતા. ડૉક્ટરોની ટીમ હાલમાં તેમની તમામ જરૂરી તપાસોમાં વ્યસ્ત છે. સત્તાવાર રીતે હજુ સુધી કોઈ પણ પ્રકારનો મેડિકલ બુલેટિન જાહેર કરવામાં આવ્યો નથી.
https://dailynewsstock.in/mudra-loan-goverment-pmmy-adharcard/

Congress : સૂત્રોના જણાવ્યા અનુસાર, સોનિયા ગાંધી શનિવારે સવારે બ્લડ પ્રેશર વધવાના કારણે અસ્વસ્થ થયા હતાં. ગઈકાલે સાંજે સુધી તેઓ સંપૂર્ણ સ્વસ્થ જણાતા હતાં અને તેમનાં ફાર્મહાઉસના આંગણામાં પણ ફરતા નજરે પડ્યા હતા. પરંતુ આજે અચાનક તબિયત લથડતાં તાત્કાલિક સારવાર માટે IGMC લઈ જવામાં આવ્યાં. હોસ્પિટલમાં તેમનો ECG, MRI સહિતના ટેસ્ટ હાથ ધરવામાં આવી રહ્યા છે. તેમને કઈ આરોગ્ય સમસ્યા છે, તે વિશે હોસ્પિટલ તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
Congress : કોંગ્રેસની વરિષ્ઠ નેતા અને પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડતા શિમલાની ઈન્દિરા ગાંધી મેડિકલ કોલેજ (IGMC) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
Congress : સોનિયા ગાંધીની તબિયત અંગે જાણ થતાં જ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખૂએ પોતાનો ઉનાનો પ્રવાસ રદ કરી દીધો અને તાત્કાલિક શિમલા પરત ફર્યા છે. તેઓ થોડા સમય પછી IGMC હોસ્પિટલ પહોંચી શકે છે. હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થામાં પણ વધારો કરવામાં આવ્યો છે અને સશસ્ત્ર પોલીસનો જથ્થો તૈનાત કરવામાં આવ્યો છે.
હિમાચલ પ્રદેશ સરકારના મુખ્ય મીડિયા સલાહકાર નરેશ ચૌહાણે જણાવ્યું હતું કે, “સોનિયા ગાંધીને કેટલીક સામાન્ય આરોગ્ય સમસ્યાઓને કારણે રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલ લાવવામાં આવ્યા છે. હાલ તેમની તબિયત સ્થિર છે અને ચિંતાની કોઈ જરૂર નથી.”
Congress : સોનિયા ગાંધી 2 જૂને પોતાની પુત્રી પ્રિયંકા ગાંધી સાથે શિમલા આવેલા હતા. તેઓ શિમલાથી લગભગ 13 કિલોમીટર દૂર છરાબ્રામાં આવેલી પ્રિયંકાની ખાનગી ફાર્મ હાઉસમાં રોકાયા હતા. આ સ્થળ હિમાલયના બરફીલા પર્વતોની વચ્ચે આવેલું શાંત અને everygreen નઝારો ધરાવતું વિસ્તાર છે. ગાંધી પરિવાર હંમેશાં ઉનાળાની રજાઓ દરમિયાન અહીં આવતા રહે છે. અહીંનો પર્યાવરણ અને હવા તેમના આરોગ્ય માટે અનુકૂળ હોવાના કારણે તેઓ વારંવાર આવતાં રહે છે.
આ પહેલો પ્રસંગ નથી જ્યારે સોનિયા ગાંધીને તાત્કાલિક સારવારની જરૂર પડી હોય. માર્ચ 2024માં પણ તેમને તાવના કારણે દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે સમયે તેમની સ્થિતિ નાજુક થઈ હતી, પરંતુ ટૂંક સમયમાં સુધાર આવ્યો હતો. જાન્યુઆરી 2024માં પણ તેઓ વાયરલ ચેપને કારણે હોસ્પિટલમાં દાખલ થયા હતા. 2022માં પણ કોરોનાની અસરને કારણે તેમને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.
Congress : સોનિયા ગાંધીનું જીવન માત્ર રાજકીય ક્ષેત્રમાં નહીં, પણ ભારતના રાજકીય ઇતિહાસમાં પણ મહત્વપૂર્ણ રહ્યું છે. તેમનો જન્મ 9 ડિસેમ્બર, 1946ના રોજ ઇટાલીના લુસિયાનામાં થયો હતો. તેમની ઓળખ એન્ટોનિયા એડવિજ અલ્બિના મૈનો તરીકે હતી. કેમ્બ્રિજમાં અભ્યાસ દરમિયાન તેઓ રાજીવ ગાંધી સાથે મળ્યાં હતાં અને ત્યારબાદ ભારતમાં સ્થાયી થયા હતા. 1968માં રાજીવ સાથે હિન્દુ રિવાજો મુજબ લગ્ન કર્યા બાદ તેઓ ભારતની નાગરિક બન્યા.
https://youtube.com/shorts/6h6tMXw6VEk

Congress : 1991માં રાજીવ ગાંધીની હત્યા પછી પણ તેઓ રાજકારણથી દૂર રહી. પરંતુ 1998માં કોંગ્રેસના આંતરિક વિખવાદો વચ્ચે તેઓ પાર્ટી પ્રમુખ બન્યા અને 2017 સુધી સતત પાર્ટીનું નેતૃત્વ સંભાળ્યું. તે ભારતના સૌથી લાંબા સમય સુધી કાર્યરત રહેલા કોંગ્રેસ પ્રમુખ રહ્યા છે. તેમનું વિદેશી મૂળ પણ રાજકારણમાં અનેક વિવાદોનું કારણ બન્યું હતું. તેમ છતાં, તેમણે પાર્ટીને એકત્રીત રાખવામાં સફળતા મેળવી.
Congress : સોનિયા ગાંધી માત્ર કોંગ્રેસ માટે નહીં, પણ સમગ્ર દેશ માટે મહત્વપૂર્ણ વ્યક્તિત્વ છે. તેમનો અનુભવ અને રાજકીય દૃષ્ટિકોણ કોંગ્રેસ પાર્ટી માટે આધારસ્તંભ સમાન રહ્યો છે. તેમની તબિયત અંગે કોઈ પણ નવો અપડેટ મળતાં સમગ્ર દેશનું ધ્યાન હવે શિમલાની IGMC હોસ્પિટલ પર કેન્દ્રીત છે.
હાલ સુધી તેમની તબિયત સ્થિર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે અને તાત્કાલિક ચિંતા કરવાની જરૂર નથી. જો આવશ્યકતા લાગશે તો તેમણે દિલ્હી ખસેડવાની પણ તૈયારી રાખવામાં આવી રહી છે. હોસ્પિટલ તરફથી મેડિકલ બુલેટિન જારી થતો, તો વધુ વિગતો બહાર આવી શકે છે.