gujarat : દલિત અને આદીવાસી ( adivasi ) સંગઠને દેશભરમાં આજે 21 ઓગસ્ટના રોજ ભારત બંધ ( bharat bandh ) નું આહ્વાન કર્યું છે. આ આંદોલન મુખ્ય રીતે હાલમાં જ સુપ્રીમ કોર્ટે ( supreme court ) આપેલા એક ચુકાદા વિરુદ્ધ છે. SC-ST અનામતમાં ક્રિમી લેયર લાગૂ કરવાનો વિરોધ થઈ રહ્યો છે. સંગઠનોનું માનવું છે કે આ નિર્ણય એસસી, એસટી અને ઓબીસીના અનામત પર જોખમ ઊભુ કરે છે. આ સંગઠન માને છે કે આ નિર્ણય સામાજિક ન્યાયના સિદ્ધાંત વિરુદ્ધ છે. હવે આ ભારત બંધની ગુજરાત ( gujarat ) માં કેટલી અસર પડી છે તે પણ જાણી લો.

https://www.facebook.com/DNSWebch/

gujarat

https://dailynewsstock.in/surat-muncipal-corporation-palsana-pandesara-sachin-water/

કોણે આપ્યું છે બંધનું એલાન
SC-ST અનામતમાં ક્રીમીલેયર પર સુપ્રીમ કોર્ટના ( supreme court ) નિર્ણયના વિરોધમાં આજે ભારત બંધનું એલાન.. દલિત અને આદિવાસી સંગઠનોએ બંધની કરી જાહેરાત.. બસપા અને RJDનું સમર્થન.

બંધની અસર
દેશના અનેક વિસ્તારોમાં જોવા મળી રહી છે બંધની અસર. ગુજરાતમાં પણ અનેક આદિવાસી વિસ્તારોમાં બંધની અસર જોવા મળી રહી છે.

ગુજરાતમાં ક્યાં જોવા મળી છે અસર?
ભારત બંધના એલાનને સુરતના ઉમરપાડામાં સંપૂર્ણ પ્રતિસાદ. ઉમરપાડા, કેવડી, ઝંખવાવ સંપૂર્ણ રીતે બંધ. ઉમરપાડામાં લોકો સંપૂર્ણ બંધ લોકો સ્વયંભૂ જોડાયા. SC-ST સમાજ સંગઠનોએ SCના ચુકાદા સામે નોંધાવ્યો છે વિરોધ.

gujarat : દલિત અને આદીવાસી ( adivasi ) સંગઠને દેશભરમાં આજે 21 ઓગસ્ટના રોજ ભારત બંધ ( bharat bandh ) નું આહ્વાન કર્યું છે.

છોટાઉદેપુરમાં નહિવત અસર
છોટાઉદેપુરમાં ભારત બંધની નહિવત અસર. જિલ્લાના બજારો રાબેતા મુજબ ચાલુ જોવા મળ્યા. છોટાઉદેપુર જિલ્લામાં ભરત બંધની અસર જોવા મળી નહીં. સુપ્રીમ કોર્ટના ચુકાદ બાદ વિરોધમાં એસસીએસટી સમાજ દ્વારા ભારત બંધની અપીલ કરી હતી.

તાપીમાં પણ જોવા મળી અસર
તાપી જિલ્લાના વ્યારા સોનગઢ તાલુકામાં સંપૂર્ણ પ્રતિસાદ. વ્યારા સોનગઢ તાલુકામાં સંપૂર્ણ બંધ લોકો સ્વયં:ભૂ જોડાયા. ST-SC સમાજ સંગઠનો દ્વારા સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે નોંધાવ્યો છે વિરોધ. સુપ્રીમ કોર્ટના જજો દ્વારા ST-SC કોટામાં વર્ગીકરણ, અને ક્રિમિલેયર દાખલ કરવા આપ્યો છે ચુકાદો

સાબરકાંઠામાં બંધની અસર
ભારત બંધની સાબરકાંઠા જિલ્લામાં જોવા મળી અસર. વિજયનગર તાલુકામાં બંધની અસર જોવા મળી. વિજયનગર, ચિઠોડા, અંદ્રોખા અને આંતરસુબ્બા આશ્રમમાં બજારો બંધ. ST સિવાય લોકલ વાહનોની અવર જવર ઓછી જોવા મળી. SC, ST આરક્ષણમાં ક્રિમિલિયર, નોન ક્રિમિલિયર લાગુ કરવાનો વિરોધ.

શું છે સુપ્રીમ કોર્ટનો ચુકાદો
સુપ્રીમ કોર્ટે SC-ST આરક્ષણમાં ક્રીમીલેયર અંગે ચુકાદો આપતા કહ્યું હતું કે, તમામ SC અને ST જાતિઓ અને જનજાતિઓ સમાન વર્ગ નથી. કેટલીક જાતિઓ વધુ પછાત હોઈ શકે છે. ઉદાહરણ તરીકે – ગટર સાફ કરનારા અને વણકર. આ બંને જાતિઓ SC હેઠળ આવે છે, પરંતુ આ જાતિના લોકો બાકીના લોકો કરતા વધુ પછાત રહે છે. આ લોકોના ઉત્થાન માટે, રાજ્ય સરકારો એસસી-એસટી અનામતનું વર્ગીકરણ કરીને અલગ ક્વોટા નક્કી કરી શકે છે. આમ કરવું બંધારણના અનુચ્છેદ 341ની વિરુદ્ધ નથી. ક્વોટા નક્કી કરવાના નિર્ણયની સાથે સુપ્રીમ કોર્ટે રાજ્યોને જરૂરી સૂચનાઓ પણ આપી હતી અને કહ્યું કે રાજ્ય સરકારો આ નિર્ણય મનસ્વી રીતે લઈ શકે નહીં. આમાં પણ બે શરતો લાગુ પડશે.

45 Post